દિ-૨
કૃષ્ણ (ભાગ-૧)
ઓલા Raymond's વાળા ભાઈ નહિ પણ જગત માં અત્યાર સુધી કોઈ complete man પેદા થયો છે તો મારા ખ્યાલ પ્રમાણે ફક્ત અને ફક્ત કૃષ્ણ જ છે. વિષ્ણુ ભગવાન ના જેટલા પણ અવતારો થયા એમાં કૃષ્ણ એ કોઈ કામ બાકી રાખ્યું નથી. હા હજી સુધી પોતાનું promise પાળ્યું નથી ઈ જુદી વાત છે. રામ ને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, એટલે automatically એમાં મર્યાદાઓ હોયજ, પણ કૃષ્ણ ને કોઈ મર્યાદા નથી. અરે જન્મીને તરતજ જે માણસ જેલ બેલ તોડી ને પોતાના બાપુજી ને દોડાવે એને કઈ મર્યાદા નડે ભાઈ?
જન્મીને પણ પાછું સીધું નહિ રેવાનું, જાત જાત ની લીલા કરવાની. મોટા મોટા રાક્ષસો અને રાક્ષસનીઓ ને મારવા ના ને કંસ ને ટેન્શન આપે રાખવાનું. ચાલો માન્યું કે કંસ તો મામા હતા અને પોતાના મમ્મી પપ્પા ને જેલ માં પૂર્યા હતા એટલે એને હેરાન કરવો જોઈએ, પણ જે લોકો ની સાથે આપને રેહવાનું, એને પણ હેરાન કરવાના? લોકો ના ઘર ની હાંડીઓ તોડી ને માખણ ખાવાનું અને માખણ ન ભાવે તો પછી માટી ખાવાની. યશોદા માં પૂછે તો આખું બ્રહ્માંડ દેખાડવાનું. હવે સીધે સીધી માટી દેખાડે તો complete man ન કેહવાય ને પાછા?
હેરાન ખાલી રાક્ષશો, રાક્ષસ્નીઓ, ગામવાળાઓ કે પછી ઘરના ને નહિ, દેવી દેવતાઓ ને પણ થોડી સળી કરી લેવાની. નાની શી વાત માં ઈન્દ્રદેવ ને સળી કરી એટલે ઈન્દ્રદેવ ખાબક્યા હવે પોતે સળી કરી હતી એટલે ગામ લોકો ની રક્ષા પણ કરવીજ રહી ને ભાઈ? ઉપાડ્યો પર્વત અને આખા ગામ ને અંદર ઉભું કરી દીધું...
ટૂંક માં પોતે સામાન્ય માણસ નથી એ વારે વારે પૂરવાર કરતા રહ્યા. નાની ઉમરે મોટા કામ. કાળીયો સરોવર માં આરામ થી પડ્યો'તો ને ભૈસાબે નાગણીઓ પાસે ફરજીયાત "જળકમળ છાંડી જા ને બાળા" ગવડાવી નાખ્યું. કેમ? વાંક પાછો પોતાનો, આટલો જોર થી શોટ મારવા ની શી જરૂર હતી? પછી દડો સરોવર માં તો શું, સમુદ્ર માં પણ જાય ભાઈ... જે હોય તે કાલીયા ને ભગાડી ને સરોવર સ્વચ્છ કર્યું ને પર્યાવરણ પ્રત્યે તો પોતાનો ફાળો પણ આપ્યો.
તે આપેજ ને કદાચ આજ સરોવર માં ગોપીયો નહાવા પડે તો એના કપડા લઇ ને તો બોસ નેજ ઝાડ ઉપર ચડવાનું ને ભાઈ? ભાઈ નાં લક્ષણો નાનપણ થીજ દેખાતા હતા, નહિ તો ૧ લાખ થી ઉપર રાણીઓ કોને પોસાય? (હવે એમ નાં કેહતા કે તે જમાના માં સોંઘવારી હતી, પત્ની એક જ એક લાખ બરાબર હોય છે આતો એક લાખ ઓલ રેડી હતીજ હવે ગુણાકાર કરો, મારું ગણિત નાનપણ થી કાચું છે.)
ગબ્બર આ રહા હૂં મેં ...કદાચ આવુજ કહ્યું હશે જયારે અક્રૂરજી એમને ને એમના સાઈડ હીરો જેવા ભાઈ બલરામ ને લઇ ગયા મથુરા. હાથી જેવા મલ્લો ને પછાડી ને કંસ ને ભાંગી નાખ્યો, તોડી નાખ્યો. બા-બાપૂજી ને છોડાવ્યા ને નાના બાપુ ને ગાદી સોંપી હેય ને બધૂ સારૂ જેનો અંત સારો, હેને? નાં રે ભાઈ નાં...પોતાના ઘરમાં શાંતિ થઇ એટલે હવે ફઈ નાં ઘર ની ફિકર કરી ને આખું મહાભારત રચ્યું....
કૃષ્ણ ની બીજી વાતો આવતી કાલે ,,,,, ત્યાં સુધી
આવજો.
ગાંઠિયા-જલેબી
પપ્પા: "દેવકી-વસુદેવ નું આઠમું સંતાન જન્મે ત્યારે એને મારી શકાય એટલે કંસે એમને કારાવાસ આપ્યો"
પપ્પુ (આજ નો) : " એવું હતું તો એલોકો ને સાથે કેમ પૂર્યા??"
Wednesday, September 1, 2010
Tuesday, August 31, 2010
Randhan Chhath
દિ-૧.
રાંધણ છઠ
આજે રાંધણ છઠ, એય ને આખાય ગુજરાત માં આજે રાંધા રાંધી ચાલૂ થાશે. કાલે બધાય રસોડાઓ માં રજા.નિશાળે જાતા છોકરા છોકરીયો ને પણ આજે ખુબ ઉત્સાહ હશે કારણ કે કાલ થી ત્રણ દિવસ ની રજા. તહેવારો નો એક અનોખો આનંદ હોય છે પણ મારા ખયાલ પ્રમાણે દરેક તેહેવારો પાછળ તેના ધાર્મિક કારણો ઉપરાંત થોડા વૈજ્ઞાનિક અને સામાજિક કારણો પણ હોય છે. હવે ગયી કાલ ની નાગપંચમી ને જ આપને એક ઉદાહરણ તરીકે લઈએ તો ક્યારેય આપને વિચાર્યું છે કે નાગપંચમી ચોમાસા માં જ કેમ આવે છે? ચોમાસામાં ખુબ વરસાદ હોય અને નાગ લોકો બહાર ના નીકળી શકે તો એલોકો નું ખાવા પીવાનું શું? આ તેહવાર ના બહાને એલોકો ને પણ લોકો દૂધ અને બીજી વસ્તુઓ ચઢાવે અને એલોકો ને એમનો ખોરાક મળી રહે. છે ને વૈજ્ઞાનિક અને સામાજિક કારણ?
હવે રાંધણ છઠ માં શું કારણ હશે? ભાઈ ઘરની મહિલા ઓ ૩૬૫ દિવસ રસોઈ કરતા રેતા હોય અને કોઈ દિવસ આરામ ના મળતો હોય તો શીતળા સાતમ ના બહાને આગલે દિવસે ભરપૂર રસોઈ કરી ને બીજે દિવસે ખુબ આરામ કરી લે એના સિવાય બીજો આશય શું હોઈ શકે? જુના જમાના માં આટલી બધી હોટલો કે ફાસ્ટ ફૂડીયા સેન્ટરો નહોતા કે મહિલા ઓ ને દર રવિવારે સાંજે રજા મળે, એટલે વરસ ના આ વચલે દિવસે આ બહાને રજા મળી જાય.
હા આજ ના જમાના માં ઠંડુ ખાવું એવાત ઘણા લોકો ને હજમ નથી થતી. લોકો પોતાની તબિયત પ્રત્યે વધુ સજાગ બન્યા છે, જોકે રોગો પણ એટલાજ વધ્યા છે, એટલે ૧૨-૧૩ કલ્લાક પહેલા રાંધેલી રસોઈ ખાવી પડે એ વાત કોઈ ને પસંદ નથી પડતી, અથવા તો ઓછી ગમે છે, પણ તેહવાર ની જે મૂળ ભાવના છે એને જો આપને સમજીએ તો કદાચ આવી નક્કામી ભાવનાઓ તેલ લેવા જઈ શકે છે. આમેય કઈ હોટેલ માં તમે check કર્યું કે જે પનીર ભુરજી તમે ખાઈ રહ્યા છો ઈ આજની નહિ ને કાલ સાંજે બનાવેલી છે ભલા?
ટૂંક માં તહેવાર ને તેહવાર ની જેમ ઉજવીએ અને લાંબી લપ્પન છપ્પન માં ના પડીએ તો એનો નિર્મળ આનંદ જળવાઈ રહે છે. મને ખબર છે હમણાજ ગયેલા રક્ષાબંધન ને દિવસે ઘણા માનેલા ભાઈયો પોતાની ના માનેલી બેહનો થી દૂર ભાગ્યા હશે. આ પ્રકાર નો નિર્મળ આનંદ કોઈ ને નથી પરવડતો. પરંતું જે તહેવાર માં ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો મજબૂત હોય તેને તેના મૂળ સ્વરૂપે ઉજવવવા માં કશો વાંધો ના હોઈ શકે.
મિત્રો, મારો આ બ્લોગ્ગિંગ નો પ્રથમ પ્રયાસ છે, હું રોજ કંઈક ને કંઈક વિષય લઈને તમને બધ્ધાં ને બોર કરવા માંગું છું. મોટા ભાગના લોકો જે આ વાંચી રહ્યા છે એ, કાતો મારા સગા વહાલા છે, અથવા તો મારા સોશિયલ નેટ વર્કિંગ ના મિત્રો છે, જે કદાચ બહૂ સારૂ બહૂ સારૂ એમ કેહ્શે કારણ કે મેં કોઈ દિવસ એ લોકો નું કાઈ બગડ્યું નથી, પરંતૂ, જો તેઓ પોતાના સાચા વિચારો રજુ કરશે તો મને આનંદ થશે.
આવજો.
ગાંઠિયા-જલેબી
નાગપંચમી ઉપર એક જુનો joke :
" અરે વાહ પપ્પુ, આજે તો તારી મમ્મી એ મંગાવ્યા વગર આખ્ખો વાટકો ભરી ને દૂધ મોકલ્યું?"
પપ્પુ:"હા કાકા, આજે નાગપંચમી છે ને એટલે!!!"
રાંધણ છઠ
આજે રાંધણ છઠ, એય ને આખાય ગુજરાત માં આજે રાંધા રાંધી ચાલૂ થાશે. કાલે બધાય રસોડાઓ માં રજા.નિશાળે જાતા છોકરા છોકરીયો ને પણ આજે ખુબ ઉત્સાહ હશે કારણ કે કાલ થી ત્રણ દિવસ ની રજા. તહેવારો નો એક અનોખો આનંદ હોય છે પણ મારા ખયાલ પ્રમાણે દરેક તેહેવારો પાછળ તેના ધાર્મિક કારણો ઉપરાંત થોડા વૈજ્ઞાનિક અને સામાજિક કારણો પણ હોય છે. હવે ગયી કાલ ની નાગપંચમી ને જ આપને એક ઉદાહરણ તરીકે લઈએ તો ક્યારેય આપને વિચાર્યું છે કે નાગપંચમી ચોમાસા માં જ કેમ આવે છે? ચોમાસામાં ખુબ વરસાદ હોય અને નાગ લોકો બહાર ના નીકળી શકે તો એલોકો નું ખાવા પીવાનું શું? આ તેહવાર ના બહાને એલોકો ને પણ લોકો દૂધ અને બીજી વસ્તુઓ ચઢાવે અને એલોકો ને એમનો ખોરાક મળી રહે. છે ને વૈજ્ઞાનિક અને સામાજિક કારણ?
હવે રાંધણ છઠ માં શું કારણ હશે? ભાઈ ઘરની મહિલા ઓ ૩૬૫ દિવસ રસોઈ કરતા રેતા હોય અને કોઈ દિવસ આરામ ના મળતો હોય તો શીતળા સાતમ ના બહાને આગલે દિવસે ભરપૂર રસોઈ કરી ને બીજે દિવસે ખુબ આરામ કરી લે એના સિવાય બીજો આશય શું હોઈ શકે? જુના જમાના માં આટલી બધી હોટલો કે ફાસ્ટ ફૂડીયા સેન્ટરો નહોતા કે મહિલા ઓ ને દર રવિવારે સાંજે રજા મળે, એટલે વરસ ના આ વચલે દિવસે આ બહાને રજા મળી જાય.
હા આજ ના જમાના માં ઠંડુ ખાવું એવાત ઘણા લોકો ને હજમ નથી થતી. લોકો પોતાની તબિયત પ્રત્યે વધુ સજાગ બન્યા છે, જોકે રોગો પણ એટલાજ વધ્યા છે, એટલે ૧૨-૧૩ કલ્લાક પહેલા રાંધેલી રસોઈ ખાવી પડે એ વાત કોઈ ને પસંદ નથી પડતી, અથવા તો ઓછી ગમે છે, પણ તેહવાર ની જે મૂળ ભાવના છે એને જો આપને સમજીએ તો કદાચ આવી નક્કામી ભાવનાઓ તેલ લેવા જઈ શકે છે. આમેય કઈ હોટેલ માં તમે check કર્યું કે જે પનીર ભુરજી તમે ખાઈ રહ્યા છો ઈ આજની નહિ ને કાલ સાંજે બનાવેલી છે ભલા?
ટૂંક માં તહેવાર ને તેહવાર ની જેમ ઉજવીએ અને લાંબી લપ્પન છપ્પન માં ના પડીએ તો એનો નિર્મળ આનંદ જળવાઈ રહે છે. મને ખબર છે હમણાજ ગયેલા રક્ષાબંધન ને દિવસે ઘણા માનેલા ભાઈયો પોતાની ના માનેલી બેહનો થી દૂર ભાગ્યા હશે. આ પ્રકાર નો નિર્મળ આનંદ કોઈ ને નથી પરવડતો. પરંતું જે તહેવાર માં ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો મજબૂત હોય તેને તેના મૂળ સ્વરૂપે ઉજવવવા માં કશો વાંધો ના હોઈ શકે.
મિત્રો, મારો આ બ્લોગ્ગિંગ નો પ્રથમ પ્રયાસ છે, હું રોજ કંઈક ને કંઈક વિષય લઈને તમને બધ્ધાં ને બોર કરવા માંગું છું. મોટા ભાગના લોકો જે આ વાંચી રહ્યા છે એ, કાતો મારા સગા વહાલા છે, અથવા તો મારા સોશિયલ નેટ વર્કિંગ ના મિત્રો છે, જે કદાચ બહૂ સારૂ બહૂ સારૂ એમ કેહ્શે કારણ કે મેં કોઈ દિવસ એ લોકો નું કાઈ બગડ્યું નથી, પરંતૂ, જો તેઓ પોતાના સાચા વિચારો રજુ કરશે તો મને આનંદ થશે.
આવજો.
ગાંઠિયા-જલેબી
નાગપંચમી ઉપર એક જુનો joke :
" અરે વાહ પપ્પુ, આજે તો તારી મમ્મી એ મંગાવ્યા વગર આખ્ખો વાટકો ભરી ને દૂધ મોકલ્યું?"
પપ્પુ:"હા કાકા, આજે નાગપંચમી છે ને એટલે!!!"
Subscribe to:
Posts (Atom)